ઘાસચારા માટે જુવારની (sorghum) ખેતી

sorghumઘાસચારા માટે જુવાર (sorghum) એક મહત્વનો પાક છે જે ચોમાસા અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. હાલમાં જ્યારે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થયેલ છે ત્યારે ખાસ કરીને પશુ આહાર લક્શ્યમાં રાખવું મહત્વનું છે. પશુની દુધ ઉત્પાદન ક્ષમતા 30% આનુવાશીંક અને 70% ખોરાક અને માવજત પર આધાર રાખે છે. ખોરાકમાં મુખ્ય બાબતો દાણ અને ઘાસચારો છે.પશુઓને લીલો ચારો અને ધાન્ય વર્ગ તેમજ કઠોળ વર્ગનો ચારો સમયસર ખવડાવવામાં આવે જાનવરને ઓછું દાણ ખવડાવીને પણ વધુ દુધ મેળવી શકાય છે.

 

વાવણી સમય

 ચોમાસુ જુવારના વાવેતર માટે જુન-જુલાઇ માસમાં પ્ર્થમ વરસાદે વાવણી કરવી હિતાવહ છે. ઉનાળુ જુવાર માટે ફેબ્રુઆરી-માર્ચ માસમાં વાવણી કરવી. અછતના સમયમાં સપ્ટેમ્બર માસ દરમિયાન પણ વાવણી કરી શકાય છે. આ પાકને ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.

ભલામણ કરેલી જાતો

  • એક કાપણી માટે: એસ-1049 (સુંઢીયા જુવાર), સી-10-2 (છાસટીયો), જી.એસ.એફ-3,જી.એસ.એફ-4, યુ.પી. ચરી-1, યુ.પી. ચરી-2, રાજચરી-1, રાજચરી-2
  • બહુ કાપણી માટે: એઅ-એસ-જી-59-3, એઅ-એસ-જી-998, એઅ-એસ-જી-898, એઅ-એસ-જી-555, જી.એફ.એચ.એસ-1, જી.એફ.એચ.એસ-3, જી.એફ.એચ.એસ-4, જી.એફ.એચ.એસ-5

વાવણી અંતર અને બિયારણનો દર

સુધારેલી જાતો માટે હેકટેરે 60 કિ.ગ્રા. અને સંકર જાતો માટે 30 કિ.ગ્રા. દર રાખી બે હાર વચ્ચે 25-30 સે.મી. નું અંતર રાખી વાવણી કરવી.

બિયારણની માવજત

પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ 3 ગ્રામ થાયરમ/કેપ્ટાનનો પટ આપવો. એઝટોબેકટર અથવા એઝોસ્પિરીલમ કલ્ચરનો પટ પણ આપી શકાય.

ખાતર

જ્મીન તૈયાર કરતી વખતે  હેકટેર દીઠ 6 થી 8 ટન છાણીયું ખાતર આપવું. સુધારેલી જાતો માટે હેકટેર દીઠ 20 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી વખતે તેમજ 20 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 30 થી 40 દિવસે આપવું. સંકર જાતો માટે હેક્ટેર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફ્ર્રસ વાવણી વખતે તેમજ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 30 થી 40 દિવસે આપવા. બહુ કાપણી માટે 25 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફ્ર્રસ વાવણી વખતે તેમજ 25 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી પછી 30 દિવસે અને 25 કિ.ગ્રા. નાઇટ્રોજન પ્રથમ કાપણી બાદ આપવો. જે જમીનમાં જસતનું પ્રમાણ 0.5 પીપીએમ કરતા ઓછું હોય ત્યાં દર ત્રણ વર્ષે હેક્ટેરે 25 કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ આપવો.

નીંદણ નિયંત્રણ

એક આતંરખેડ અને વાવણી બાદ 30-35 દિવસે હાથ નિંદાનણ કરવા. રાસાયણીક નીંદણ નિયંત્રણ માટે વાવણી બાદ બીજા દિવસે ભેજ્વાળી જ્મીનમાં એટ્રાઝીન અથવા પ્રોપેઝીન 0.25-0.5 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રમાણે 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. વાવણી બાદ 25-30 દિવસે 2,4-ડી(ઈઈ) 0.75 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રામાણે 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નીદંણો તેમજ આગીયાનું નિયંત્રણ કરી શકાય. કઠોળ પાકો સાથે જુવારનું વાવેતર કરેલ હોય ત્યારે વાવણી બાદ બીજા દિવસે એલાકલોર 1.0 સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રમાણે છંટકાવ કરવો.

પિયત 

ચોમાસુ પાકને પિયતની જરૂર રહેતી નથી. જ્મીન અને પાક્ની અવસ્થા ધ્યાનમાં લઇ ઉનાળામાં 10-15 દિવસે 4-5 પિયત અને બહુ કાપણી માટે 7-8 પિયત આપવા.

કાપણી

એક કાપણીની જાતોમાં 60-65 દિવસે (50% ફુલ અવસ્થાએ) કાપણી કરવી. બહુકાપણી જાતોમાં પ્રથમ કાપણી 40-45 દિવસે અને ત્યાર બાદ 30 દિવસના અંતરે કાપણી કરવી. 50% ફુલ અવસ્થાએ કાપણી કરવાથી સારો પોષક તત્વોયુક્ત લીલો ચારો મળે છે. મોડી કાપણી કરવાથી ક્રુડ પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. નીંધલ પહેલાની જુવાર, પાણીની ખેંચવાળી જુવાર અને બડ્ઘા પાક્ના છોડમાં એચ.સી.એન. નું પ્રમાણ વધારે હોવાથી ઢોરને ખવડવતા મીણો ચડે છે.

ઉત્પાદન

એક કાપણીમાં હેકટેરે 350-400 કિવન્ટલ અને બે કાપણીમાં 450-650 કિવન્ટલ અને બહુકાપણીમાં 650-1050 કિવન્ટલ જેટલું લીલા ચારાનું અંદાજિત ઉત્પાદન મળે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.