નીલગિરીની (eucalyptus) ખેતીમાં ધ્યાન રાખવાની બાબતો

નીલગિરિ (Eucalyptus) એ દુનિયામાં સૌથી વધુ પ્રમાણમાં ઉછેરાતું જંગલી વૃક્ષ છે. ભારત એ બીજા નંબરનો નીલગિરિ વાવેતર કરતો દેશ છે. નીલગિરિની આશરે ૯૦૦ જેટલી જાતો છે જેવી કે યુકેલિપ્ટસ ટેરેટીકોરનીસ, યુકેલીપ્ટસ ગ્રાન્ડીસ, યુકેલિપ્ટસ હાઈબ્રિડ હાલમાં નીલગિરિનો ઉપયાગ પેપર બનાવટમાં, બળતણ, ઈમારતી લાકડુ, પ્લાયવુડ બનાવવામાં, ટ્રાન્સમિશન પાલ, બાંધકામના સાધનો, વાડના થાંભલા તેમજ પવન અવરોધક તરીકે થાય છે.

નીલગિરિ એ ભારત તેમજ ગુજરાતના દરેક વિસ્તારમાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં વ્યારા અને સોનગઢ તાલુકાના વિસ્તારોમાં ઘણા વર્ષોથી ખેડૂતો તેનું વાવેતર કરે છે. જયારથી નીલગિરિનો ઉપયોગ પેપરની બનાવટમાં તેમજ બાંધકામમાં થવા લાગ્યો છે ત્યારથી તેના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ જોઈએ તો સરળતાથી ઉત્પાદન મેળવી વધારે આવક મળતી હોવાથી લોકો નીલગિરિના વાવેતર તરફ વળ્યા છે. હાલમાં સુરત જિલ્લામાં પણ તેનું વાવેતર થતું જોવા મળી રહ્યું છે. શહેરની નજીકના વિસ્તારો કીમકામરેજમાં વાવેતર થતું જોવા મળી રહ્યું છે.

નીલગિરિએ ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવતો પાક છે. ઉત્પાદનનો મુખ્ય આધાર તેની જાત, જમીનની ગુણવત્તા તેમજ વાતાવરણની પરિસ્થિતિ ઉપર રહેલો છે. નીલગિરિનું ઉત્પાદન ૩૦ ઘનમીટરથી લઈને ૭૦ ઘનમીટર સુધીનું થતું જોવા મળે છે એટલે કે ૧૧પ ટન પ્રતિ હેકટરે લાકડું મળે છે જેના થકી પુષ્ક આવક મેળવી શકાય છે. પરંતુ ખેડૂતોએ નીલગિરિનું વાવેતર કરવું હોય તો નીચેની બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

નીલગીરી અને જલચક્ર

જ્યારે નીલગિરિની કાપણી કરવામાં આવે ત્યારે બધા જ વૃક્ષો એક સાથે કાપી નાખતાં વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે ફળદ્રુપ જમીનનું ધોવાણ કરી વહી જાય છે. તેથી કોઈક વાર જલચક્ર જોખમાય છે.

નીલગિરિ દ્વારા પાણીનો ઉપયોગ

નીલગિરી વૃક્ષનાં મૂળ પ્રતિ વર્ષ ૨.૫ મીટર જેટલી લંબાઈમાં વધારો થાય છે અને તે ૭.૫ મીટર જેટલી ઊંડાઈ સુધી વિસ્તાર પામે છે જયારે અન્ય વૃક્ષનાં મૂળ ૨.૫ મીટર સુધી જ વિસ્તાર પામે છે. તેથી નીલગિરિનું વૃક્ષ પ્રતિદિન ૩૦ થી ૪૦ લિટર પાણી જમીનમાંથી શોષે છે જે સૌથી મોટી સમસ્યા છે. જેના લીધે જમીનના પાણીના સ્તર (વોટર ટેબલ)માં ઘટાડો થાય છે. જયાં વાવેતર કરવામાં આવ્યું હોય ત્યાં આસપાસના વિસ્તારમાં રહેલા ટયુબવેલ નકામા થઈ જાય છે.

નીલગિરિનું વાવેતર નીચે દર્શાવેલ જગ્યાએ ન જ કરવું જોઈએ :

  • સતત ભેજવાળી અને રેતાળ (Sandy Marshy) જમીનમાં.
  • નદીની બન્ને બાજુ ૩૦ મીટર સુધીના વિસ્તારમાં
  • સરોવર, તળાવ, કાદવકીચડવાળી જમીનની બાજુમાં
  • જયાં ૪૦૦ મિ.મી.થી ઓછો વરસાદ પડતો હોય ત્યાં
  • પાણીના સ્ત્રોતની નજીક આવેલ હોય તેવું ફાર્મ

જમીનની ફળદ્રુપતા પર અસર

નીલગિરિ એ ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવતું હોવાથી તેની વૃદ્ધિ સમયે જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી નીલગિરીના સતત વાવેતર કર્યા બાદ જમીનમાં પોષક તત્વોની ઉણપ વતીય છે. તેના ફળ સ્વરૂપે તે જમીનમાંથી બીજો કોઈપણ પાક લઈ શકાતો નથી તે જમીનની ઉત્પાદકતા અન્ય પાકો માટે એકદમ નબળી થઈ જાય છે.

નીલગિરી એલેલોપેથિક આડ અસર

નીલગિરીના પાન અને મૂળમાં ખૂબ જ ઝેરી તત્વો (Cineole અને C-Pinene) રહેલો છે જે જમીનના બંધારણને બગાડે છે જેના પરિણામે અન્ય વનસ્પતિની વૃદ્ધિ થતી નથી. તેથી નીલગિરિની સતત વાવણી બાદ લાંબા ગાળો કોઈપણ પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં મેળવી શકાતુ નથી.

જેવ વિવિધ્યતા પર નીલગિરિની અસર

નીલગિરિનું વૃક્ષ ઝડપી વૃદ્ધિ કરતું હોવાથી તેની આજુબાજુની જેવ વૈવિધ્યતા પર ઘણી અસર જોવા મળે છે. નીલગિરી ખૂબ જ પ્રભાવી હોવાથી આપસપાસના વિસ્તારમાં રહેલ અન્ય વનસ્પતિનું અસ્તિત્વ જોખમાય છે અને જે તે વનસ્પતિની જાતો તે વિસ્તારમાં નષ્ટ પ્રાય થઈ જાય છે. જે વિસ્તારમાં નીલગિરિના વાવેતરનું સતત વધે ત્યાં જેવ વૈવિધ્યતા લાંબા સમયના અંતરે નાશ પામે છે.

આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા ખેડૂતોને એટલું સુચન કરવામાં આવે છે કે ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં નીલગિરિનું વાવેતર કરી જમીનનો બગાડ કરવો જોઈએ નહિ પરંતુ પડતર નકામી કે અફળદ્રુપ જમીનમાં વાવેતર કરી પુષ્કળ ઉત્પાદન મેળવી સારા એવા પ્રમાણમાં આવક મેળવવી જોઈએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.