ચાઈનીઝ કોબીજ (Chinese cabbage) – ખેડુતો માટે નફાકારક શાક્ભાજી

આજકાલ શાકભાજીના નવા પાકો જેવા કે ચેરી ટામેટાં, ઘરકીન, બેબીકોર્ન, સ્વીટકોર્ન, લાલ કોબીજ, ચાઈનીઝ કોબીજ, લીક વગેરેની ખેતી જૂજ ખેડૂતો કરવા લાગ્યા છે. આ પાકોમાં ચાઈનીઝ કોબીજ (chinese cabbage) એક અગત્યનો પાક છે જેનો ચાયનીઝ વ્યંજનોમાં ખુબ ઉપયોગ થાય છે.આ નવા શાકભાજીની મહાનગરો, પાંચતારક હોટલો અને પર્યટન સ્થળોએ સારી એવી માંગ રહે છે અને ખેડુતોને સારો નફો કરાવે છે.

આબોહવા

પાકના સારા વિકાસ તથા દડા બંધાવવા માટે ૧૫° થી ૨૫° સે. તાપમાન અનુકૂળ છે. જયારે ૧ ° સે.થી ઓછું અને ૨૫ જ સે. થી વધારે તાપમાન પાક ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર કરે છે.

જાતો

ઓલ ટાઈમ, અલી હાઈબ્રિડ, કાસુમી, મીચીચી, ચાઈના ફલેશ, નર્વા

જમીન

કોબીજના દડા ઠંડા અને ભેજવાળા હવામાનમાં સારા બંધાય છે. આ પાકને લગભગ બધાજ પ્રકારની જમીન અનુકૂળ આવે છે. હલકી જમીનમાં પાકનો વિકાસ ભારે જમીન કરતાં વધારે સારો થાય છે. પાકનેઅનુકૂળ જમીનનો પી.એચ. ૬ થી ૬.૫ છે.

વાવેતર સમય અને બીજનો દર

મોટા ભાગે પાકનો ધરૂ ઉછેર ઓકટોબર – નવેમ્બર માસમાં કરવામાં આવે છે. એક હેકટર વિસ્તારના વાવેતર માટે ૪૫૦ થી ૫૦૦ ગ્રામ બીજની જરૂર રહે છે. એક થી દોઢ માસમાં ફેરરોપણી લાયક છોડ તૈયાર થાય છે.

જમીનમાં પાણી આપી બે થી ત્રણ ખેડ કરી જમીન તૈયાર કરવી. ફેરરોપણી માટે અંદાજીત ૪ થી ૫ પાન ધરાવતા છોડ ઉત્તમ ગણવામાં આવે છે. જેની ફેરરોપણી ૪૫ સે.મી. ×૩૦ સે.મી.ના અંતરે કરવી. ફેરરોપણી માટે જમીનના પ્રકાર અને ઢાળ તેમજ પિયતની સુવિધાને ધ્યાને રાખી કયારા બનાવવા. રોપણી બાદ પાકને તરત જ પાણી આપવું.

ખાતર

જમીનની તૈયારી કરતી વખતે ૧પ થી ૨૦ ટન સારૂ કહોવાયેલું, ગળતીયું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું ત્યાર બાદ ૧૦૦:૦:૭૦ કિલોના.ફો.પો. તત્વના રૂપમાં પ્રતિ હેકટર આપવાં. જેમાં ફોસ્ફરસ અને પોટાશનો તમામ જથ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજનનો અડધો જથ્થો રોપણીના એક માસ પછી પૂર્તિ ખાતર તરીકે આપવો.

પિયત

પાકનો વિકાસ ઝડપી કરવા તેની ગુણવતા વધારવા અને દડાને ફાટી જવાથી બચાવવા નિયત અંતરે હળવાં પિયત આપવાં. પિયત આપતી વખતે પાકના નીચેના પાનને સીધુ પાણી ન અડકે તેમજ પાણી ભરાય નહી તેની કાળજી રાખવી જેથી પાકને ફૂગજન્ય રોગોથી બચાવી શકાય. ઉપરોકત પિયત ફેરરોપણી બાદ તરત અને બાકીનાં પિયત ૧૫ દિવસના અંતરે આપવાં. પાક કાપણી અવસ્થાએ પહોંચે તેના અઠવાડીયા પહેલાં શરૂઆતના પાકના વિકાસના તબકકા દરમ્યાન બે થી ત્રણ વખત કરબડી ચલાવીને પાકને નીદણમુકત રાખવો. આ ઉપરાંત જરૂરીયાત મુજબ હાથથી નીદામણ કરવું તથા પાકને માટીના પાળા ચઢાવવા. પાકનો વિકાસ થયા બાદ આંતરખેડ બંધ કરવી.

જીવાત નિયંત્રણ

હીરાકુટું : આ જીવાતની ઈયળ પાનને કોરી ખાઈને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે નીચેનાં પગલા લેવાં

  • પિંજર પાક (મુખ્ય પાકની ફરતે) તરીકે રાયડો અથવા અસાળીયાનું વાવેતર કરવું
  • જીવાતના ઉપદ્રવના શરૂઆતના સમયમાં લીબોળીની મીજ પ૦૦ ગ્રામ અથવા બી.ટી. પાઉડર ૧૦ ગ્રામ, ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • બી.ટી પાઉડર ૧ કિલો/હેકટર મુજબ બે છટકાવ કરવા. પ્રથમ જીવાત દેખાય ત્યારે અને બીજો છટકાવ પ્રથમ છટકાવના ૧૫ દિવસ બાદ કરવો.
  • રાસાયણિક નિયંત્રણ કરવા કિવનાલફોસ ૦.૦૫ ટકા (૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા ઈન્ડોકઝાકાર્બ ૦.૦૧.૪૫ % (૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી) મુજબ છટકાવ કરવો.

મોલો :ઓકટોબરના ચોથા અઠવાડીયા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં રોપાણ કરવું.

  • જીવાતના ઉપદ્રવના શરૂઆતના સમયમાં લીબોળીના મીજ પ૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • રાસાયણિક નિયંત્રણમાં એસીફેટ ૭૫ એસ પી ૧૦ ગ્રામ અથવા ઈમીડા કલોપ્રીડ ૩ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ પ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

લીલી ઈચળ: ઓકટોબરના ચોથા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં રોપણી કરવી.

  • લીલી ઈયળના ફેરોમેન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર મૂકવા
  • લીલી ઈયળનું એન. પી. વી. ૨૫૦ એલ ઈ, હેકટરે ૪૦૦-૫૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવું.

રોગો

(૧) મૂળનો કોહવારો : મૂળ ઉપર કાળો પાણી પોચો સડો થાય છે, જેના લીધે છોડ સૂકાય જાય છે. જેના નિયંત્રણ માટે રીડોમીલ એમ. ઝેડનું ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ દવા અથવા ૦.5 ટકા બોડીં મિશ્રણ નું ડેન્સિંગ કરવું.

(ર) તળછારો : પાનની નીચેની સપાટીએ છારો જોવા મળે છે જે પાનની વૃધ્ધિ પર માઠી અસર કરે છે. જેના નિયંત્રણ માટે ફોસેટાઈલ એ. એલ. ૧૨.૫ ગ્રામ દવા, ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો અથવા ૦.s ટકા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો.

(૩) જીવાણુંથી થતો સડો (બ્લેક રોટ) : આ રોગથી ખૂબજ નુકસાન થાય છે. ખાસ કરીને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય અને ઉષ્ણતામાન ૨૫° સે. ની આજુબાજુ હોય ત્યારે આ રોગની તીવ્રતા વધારે જોવા મળે છે. જેના નિયંત્રણ માટે સ્ટેપ્ટોસાયકલીન – ગ્રામ દવા ૧૦૦ લિટર પાણી અને s૦ ગ્રામ કોપર ઓકસીકલોરાઈડ મિશ્રણ કરી છટકાવ કરવો.

કાપણી

દડાનો વિકાસ સંપૂર્ણ થઈ જાય ત્યારે દડા કાપી લેવા. ઘણી વાર સારો ભાવ મેળવવા દડાનો વિકાસ થયા પહેલાં પણ કાપણી કરવામાં આવે છે. દડાને ધારદાર ચપ્પુ વડે પાંચથી છ પાના સાથે કાપવો, ત્યારબાદ એકસરખા દડાનું ગ્રેડિંગ કર્યા બાદ બજારમાં વેચવા માટે મોકલવાથી બજારભાવ સારા મળે છે.

ઉત્પાદન

સરેરાશ ઉત્પાદન ૭૦ થી ૮૦ ટન હેકટરે મળે છે જે ઋતુ અને જાતની પસંદગી ઉપર આધારીત છે. જો પાકના વિકાસના અને દડા બંધાવવાની અવસ્થાએ તાપમાન વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.